Friday, April 19, 2024
Homeરાજ્યખીરસરાના યુવાનને છ શખ્સો દ્વારા મારી નાખવાની ધમકી

ખીરસરાના યુવાનને છ શખ્સો દ્વારા મારી નાખવાની ધમકી

- Advertisement -

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં રહેતાં અને ક્ધસ્ટ્રકશનના વ્યવસાયી યુવાનની કારને આંતરીને છ શખ્સોએ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા અને ક્ધસ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા અવડાભાઈ રાજાભાઈ ઉર્ફે પોલાભાઈ ઓડેદરા (ઉ.વ.33) નામના મેર યુવાનને સૂર્યવદર ગામના પાટીયા પાસે એક્સ.યુ.વી. મોટરકારમાં આવેલા સુરત ખાતે રહેતા ચીમનભાઈ ડુંગરભાઈ સાવલિયા, નિમિશભાઈ ચીમનભાઈ સાવલિયા, લાલાભાઈ કાંટાવાળા તથા મોન્ટુ અને કપિલભાઈ રાજકોટવાળા ઉપરાંત એક્સ.યુ.વી. કારના ચાલક સહિતના છ શખ્સોએ અટકાવી, ગેરકાયદેસર મંડળી રચી અને બિભત્સ ગાળો કાઢ્યાની તથા ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી આવડાભાઈ ઓડેદરાના સંબંધથી પરબતભાઈ મોઢવાડિયાએ આરોપી ચીમનભાઈ સાવલિયાને રૂા.12 લાખ ઉછીના આપેલ હોય અને આ બાબતે ફરિયાદી આવડાભાઈ વચ્ચે હોવાથી આરોપી ચીમનભાઈએ રૂપિયાના બદલામાં આપેલો ચેક બેંકમાં નાખતા આ ચેક રિટર્ન થયો હતો અને આના અનુસંધાને આરોપી ચીમનભાઈ સાવલિયા સામે કોર્ટમાં નેગોસિબલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાબતનું મન દુ:ખ રાખી ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે તમામ છ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 325, 324, 504, 506 (2), 143, 147 તથા 148 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ. આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular