Thursday, July 17, 2025
Homeરાજ્યજામનગરકોલેજની પરીક્ષાની ચિંતામાં વિદ્યાર્થિની યુવતીની આત્મહત્યાથી અરેરાટી

કોલેજની પરીક્ષાની ચિંતામાં વિદ્યાર્થિની યુવતીની આત્મહત્યાથી અરેરાટી

કાલાવડમાં મંગળવારે સાંજે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી: પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી

કાલાવડ ગામમાં પંજેતનનગરમાં રહેતી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની યુવતી બે દિવસ પછી પરીક્ષા હોય જેની ચિંતાના કારણે તેણીના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં આવેલા પંજેતનનગરમાં રહેતી રીયાબેન યુનુસશાહ શાહમદાર (ઉ.વ.18) નામની યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને બે દિવસ બાદ પરીક્ષા હોય. જેથી પરીક્ષાની ચિંતામાં જિંદગીથી કંટાળી મંગળવારે સાંજના સમયે તેના ઘરે દુપટ્ટા વડે પંખામાં ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રજીયાબેન દ્વારા જાણ કરાતા હેકો વી ડી ઝાપડીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular