ભાણવડમાં ઓમકાર ગ્રીન સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાન રાજ્યના હનુમાનગઢ તાલુકાના રહીશ તેમજ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરી કરતા વિરેન્દ્ર મૂળશંકર ખત્રી 28 વર્ષના યુવાન તા. 18 નવેમ્બરના રોજ પોતાનું ઘર બંધ કરીને ગયા હતા. ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનમાં હોલનો દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ ઘરનો સામાન વેરવિખેર કરી અને કબાટના ખાનાઓમાં રાખવામાં આવેલી બે નંગ સોનાની વીટી, બે નંગ ચાંદીની વીંટી રૂા. 5,000 રોકડા તેમજ ઘડિયાળ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આમ, તસ્કરોએ બેંક કર્મીના રહેણાંક મકાનમાં ખાતર પાડી, કુલ રૂા.40,600 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા જવા સબબ ભાણવડ પોલીસમાં આઈપીસી કલમ 380, 454 તથા 457 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.