જામનગરના જામસાહેબનો આવતીકાલે જન્મદિવસ હોય, નાદુરસ્ત તબિયતને કારણે તેઓ લોકોને મળી શકશે નહીં.
જામસાહેબએ સંદેશ દ્વારા જણાવ્યું છે કે, આવતીકાલ તા. 20 ફેબ્રુઆરીએ તેમનો જન્મ દિવસ હોય, જે લોકો તેમને મળવા માગતા હોય તેમની ક્ષમા માગી છે અને જણાવ્યું છે કે, નાદુરસ્ત તબિયતને કારણે લોકોને મળી શકશે નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ તેમના રહેણાંકે આવે તો માત્ર તેમનું નામ લખાવી લે અને લોકો તેમના વ્યર્થ સમય બગાડે નહીં તેમ અપીલ કરી છે.