મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે જામનગર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ
હિન્દુ હૃદયસમ્રાટ મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે જામનગર કોંગે્રસ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જામનગર શહેરમાં જિલ્લા પંચાયત સામે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા ખાતે કોંગે્રસના પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો વિરોધ પક્ષ નેતા ધવલ નંદા, કોર્પોરેટરો અલ્તાફ ખફી, આનંદ ગોહિલ, રચનાબેન નંદાણીયા ઉપરાંત આનંદ રાઠોડ સહિતના કોંગે્રસ અગ્રણીઓ હોદ્ેદારો દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને પૂષ્પાંજલિ અર્પણ કરી મહારાણા પ્રતાપની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી.