Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

જામનગર શહેરમાંથી તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

એલસીબીની ટીમે પાંચ શખ્સોને રૂા.40,230 ની રોકડ સાથે પટેલ કોલોની વિસ્તારમાંથી દબોચી લીધા

- Advertisement -

જામનગર શહેરના પટેલકોલોની વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને એલસીબીએ રૂા.40230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.4 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન પ્રવિણ દોલતરાય ત્રિવેદી, ધવલ કિશોર કાટલિયા, દિનેશ છોટાલાલ લખતરીયા, અરવિંદ બાબુલાલ પરમાર, મનિષ શાંતિલાલ પંડયા નામના પાંચ શખ્સોને રૂા. 40,230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular