Saturday, July 27, 2024
Homeરાજ્યપુત્રી સાસરેથી રિસામણે આવ્યાનું લાગી આવતા પિતાનો આપઘાત

પુત્રી સાસરેથી રિસામણે આવ્યાનું લાગી આવતા પિતાનો આપઘાત

બે માસથી પુત્રી રિસામણે આવી : પિતાનો ઝેરી ગટગટાવી : સરકારી હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામજોધપુર તાલુકાના સડોદર ગામની સીમમાં આવેલા ખેતરમાં મજુરી કામ કરતાં પ્રૌઢની પુત્રી સાસરેથી રિસામણે આવી હોવાનું મનમાં લાગી આવતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલ જામજોધપુર તાલુકાના સડોદર ગામની સીમમાં આવેલા ખોડાભાઇના ખેતરમાં મજુરી કામ કરતાં થાનસિંગ કાલુસિંહ મહેડા ઉ.વર્ષ પપ નામના પા્રૌઢની પુત્રી સંગીતાબેન છેલ્લા બે માસથી સાસરેથી રિસામણે માવતરે આવી હતી. આ બાબતનું મનમાં લાગી આવતા પ્રૌઢે ગત તા. 12ના રોજ બપોરના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પ્રૌઢને સારવાર માાટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા જયાં તેનું સારવાર દરમયન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.આ અંગે મૃતકના પુત્ર મુકેશ દ્વારા જાણ કરાતા હે.કો.એ.એમ. પરમાર તથા સ્ટાફ દ્વારા હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular