Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયખેડૂત આંદોલન: રવિવારે ચર્ચા માટે ફરી યોજાશે બેઠક

ખેડૂત આંદોલન: રવિવારે ચર્ચા માટે ફરી યોજાશે બેઠક

- Advertisement -

લઘુત્તમ ટેકાના ભાવ માટે કાયદો બનાવવાની અને ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવાની માંગને લઈ હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર હજુ પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂત સંગઠન અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ગઇકાલે ફરી ખેડૂત અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ ગઈ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે હવે રવિવારે બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

ખેડૂતો સાથેની બેઠક અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ‘ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે આગામી દિવસ રવિવાર નક્કી કરાયો છે. હું આશા રાખું છું કે આગામી ચર્ચા હકારાત્મક વાતાવરણમાં થશે અને અમે ખેડૂતોના પ્રશ્ર્નના ઉકેલ તરફ આગળ વધીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે ઘણાં પગલાં લીધાં છે.

પંજાબના હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાની જીદ સાથે શંભુ બોર્ડર પર એકઠા થયા છે. બીજી તરફ હરિયાણામાં તેમને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. આજે પણ શંભુ બોર્ડર પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા ખેડૂતો ઈજાગ્રસ્ત થયા છે. ખેડૂત સંગઠનો દ્વારા ઈજાગ્રસ્ત ખેડૂતોને પ્રાથમિક સારવાર માટે વિવિધ સ્થળોએ મેડિકલ સુવિધા પણ ઉભી કરાઈ છે. હરિયાણાના કુરુક્ષેત્ર હાઈવે પર પણ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular