વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના ભવ્ય વિજય બાદ પ્રથમ વખત જામનગર આવ્યા હતાં ત્યારે જામનગરના પ્રવાસેથી પરત જતી વખતે જામનગર શહેર ભાજપના પૂર્વ અઘ્યક્ષો અને અગ્રણીઓએ તેમને એરફોર્સ ખાતે વિદાય આપી હતી. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દાસાણીએ તેમને વિદાય આપી તેમની સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાને તેમના ખબર અંતર પુછયા હતાં.


