Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરની સ્વસ્તિક સોસાયટીમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા વૃદ્ધનું મૃત્યુ

જામનગરની સ્વસ્તિક સોસાયટીમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા વૃદ્ધનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરના સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાંથી સોમવારે બપોરના સમયે વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સ્વસ્તિક સોસાયટી જેવા પોશ વિસ્તારમાંથી સોમવારે બપોરના સમયે આશરે 65 વર્ષના વૃધ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવતા સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઈ દ્વારા વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે પીએસઆઈ પી.એન. પટેલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular