Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના હાપામાં ટ્રેન હેઠળ આવી જતા યુવાનનું મોત

જામનગર તાલુકાના હાપામાં ટ્રેન હેઠળ આવી જતા યુવાનનું મોત

ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા : સારવાર દરમિયાન મૃત્યુ : જામનગરમાં ચકકર આવતા પડી જતાં આધેડનું મોત : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના હાપા ગામની સીમમાં રેલવે ફાટક અને અંડરબ્રિજ વચ્ચેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટે્રન હેઠળ આવી જતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જામનગરના રણજીતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતાં આધેડને ચકકર આવતા પડી જવાથી સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ગામમાં રહેતા ભીમજીભાઈ હંસરાજભાઈ પરમાર (ઉ.વ.40) નામના યુવાનને ગુરૂવારે મોડીસાંજના સમયે રેલવે ફાટક અને અંડરબ્રિજ વચ્ચેના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ કોઇ કારણસર ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ કાનજીભાઈના નિવેદનના આધારે હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા મયુરવિલા શેરી નં.4 માં રહેતાં દિલીપભાઈ મોહનભાઈ ચિતારા (ઉ.વ.50) નામના આધેડને શુક્રવારે બપોરના સમયે તેના ઘરે ચકકર આવતા પડી જવાથી સારવાર માટે અહીંની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પુર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ નલીનભાઇ દ્વારા જાણ કરાતા હેકો એન.એફ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular