Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરVideo : ભાજપા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પૂષ્પાંજલિ અર્પણ

Video : ભાજપા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પૂષ્પાંજલિ અર્પણ

- Advertisement -

 

- Advertisement -

ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરમાં લાલ બંગલા સર્કલ નજીક આવેલ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી ડૉ.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર ભાજપા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા હતાં. આ તકે જામનગર મહાનગરપાલિકાના મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા, ડે.મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, કોર્પોરેટરો ધિરેનભાઈ મોનાણી, ગોપાલભાઈ સોરઠીયા, નિલેશભાઈ કગથરા, સરોજબેન વિરાણી, પાર્થ જેઠવા, મુકેશભાઈ માતંગ, અરવિંદભાઈ સભાયા, ક્રિષ્નાબેન સોઢા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઈ કનખરા, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પૂર્વ શહેર ભાજપા પ્રમુખ મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા, હસમુભાઈ હિંડોચા, શહેર ભાજપાના ભાવિષાબેન ધોળકિયા સહિતના પદાધિકારીઓ તેમજ ભાજપા સંગઠનના હોદ્ેદારો-કાર્યકરો ઉપસ્થિત રહી ફુલહાર કર્યા હતાં. તેમજ કેક કાપી ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular