Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાત‘વન સેતુ’ ચેતના યાત્રાનો પ્રારંભ

‘વન સેતુ’ ચેતના યાત્રાનો પ્રારંભ

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા આજથી 1000 કિલોમીટરની ‘વન સેતુ ચેતના’ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજયના આદિવાસી ક્ષેત્રના 14 જિલ્લાના 28 તાલુકાઓમાં આ ચેતના યાત્રા ફરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉનાઇ માતાના દર્શન કરીને વાસદાથી ચેતના યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા તથા ભાજપ અધ્યક્ષ સીરઆર પાટીલ પણ ઉપસ્થિત રહયા હતા. આ યાત્રા પાંચ દિવસ દરમ્યાન 1000 કિલોમીટરનું અંતર કાપશે.

- Advertisement -

આ તકે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દંડક અરણ્ય પ્રભુશ્રી રામે શબરીના બોર ખાધા હતાં. આ વિસ્તારમાં શબરીધામ આવેલું છે. તે ભૂમિ પર આવવાનું મને શૌભાગ્ય મળ્યું છે. તેમણે કહ્યું કે, સિતામાતાની જન્મતિથિએ આ યાત્રા શરુ કરવામાં આવી છે. આ યોજના માટે 52000 કરોડની ફાળવણીનું આયોજન છે. આ યાત્રા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાંથી પસાર થઇ તા. 22 જાન્યુ.એ અંબાજી યાત્રા ધામમાં પૂર્ણ થશે. આ યાત્રા અંતર્ગત 3 લાખ આદિવાસી વસ્તીને સાંકળી લેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular