કાળઝાળ ગરમીની ઋતુ શરૂ થઈ ગઇ છે. સુરજદાદા હવે આકરા મીજાજમાં આવી રહ્યા છે ત્યારે ઉનાળામાં ડીહાઈડ્રેશનની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે કોઇને ગભરામણ તો કોઇને ચકકર આવવા. કમજોરી આવવી તો કયાંક ઝાડા-ઉલ્ટીના લક્ષણો દેખાય છે ત્યારે આવા લક્ષણો દેખાય ત્યારે શું કરવું તે આપણને આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા જણાવે છે.

- નારિયેળનું પાણી, શરબત, છાશ અને લેમન જયુસ જેવી શરીરની હાઈડ્રેટિંગ આપતા પીણા લેવા જોઇએ.
- રસ્તામાં ચાલતા કે વાહન ચલાવતા જો થાક અનુભવાય કે ચકકર આવે તો છાયડામાં બેસીને આરામ અને ઠંડક લેવા.
- ઠંડા પાણીથી ચહેરો અને હાથ પગ ધોવાથી આરામ મળશે.
- તડકામાં વધુ સમય ન રોકાઓ. ખાસ કરીને 12 થી 4 દરમિયાન જરૂર પડે તો જ નિકળવું.
- કોટન અને હળવા રંગના કપડા પહેરવા જોઇએ.
- મસાલેદાર, તેલવાળો અને ગરમ ખોરાક લેવાનું ટાળવું જોઇએ.
- ઉનાળુ ફળો જેવા કે તરબુચ, શકકરટેટી, કાચી કેરી, ખીરા વગેરેનો વધુ ઉપયોગ કરવો.
વધારે પરસેવાથી શરીરમાં નમકની ઉણપ થાય છે. જો તેવું લાગે તો સાકર અને મીઠાનું પાણી લેવું જોઇએ.
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)