Thursday, March 28, 2024
Homeરાજ્યપતિ સાથે બોલાચાલી થયા બાદ ભાણવડની પરિણીતાએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

પતિ સાથે બોલાચાલી થયા બાદ ભાણવડની પરિણીતાએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

- Advertisement -

ભાણવડના પારસનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ ડાયાભાઈ સાદીયાના પત્ની ચંપાબેન (ઉ. વ. 30) એ ગત રાત્રીના આશરે બારેક વાગ્યે પોતાના ઘરે રૂમમાં પોતાની સાડી વડે પંખામાં ગળાફાંસો ખાઇ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો.

આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ મહેશભાઈ ડાયાભાઈ સાદીયાએ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ ચંપાબેનને તેમના માતા-પિતાથી અલગ રહેવું હોય, જે બાબતે દંપતી વચ્ચે બોલાચાલી થયા બાદ તેણીએ આ પગલું ભરી લીધું હતું. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મહેશભાઈના ચંપાબેન સાથે બીજા લગ્ન હતા અને તેઓને કોઈ સંતાન ન હતું. આ બનાવ અંગે ભાણવડના પી.એસ.આઈ. નિકુંજ જોષી તથા સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. ભાણવડ પોલીસ મથકમાં આ બનાવની ધોરણસર નોંધ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular