Thursday, March 28, 2024
Homeરાજ્યહાલારખૂનના કેસમાં બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

ખૂનના કેસમાં બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

જોડિયાના કેસના આરોપીને દબોચી લેતી એસઓજી

- Advertisement -

જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનના કેસમાં આરોપી છેલ્લાં બે વર્ષથી નાસતો ફરતો હોય જામનગર એસઓજીએ બાલંભા ગામની સીમમાંથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખુનના કેસનો આરોપી અયુબ જુસબ જશરાયા છેલ્લાં બે વર્ષથી નાસતો ફરતો હોય આ દરમિયાન હાલમાં બાલંભા ગામની સીમમાં હોવાની એસઓજીના રાજેશભાઈ મકવાણા, અનિરૂધ્ધસિંહ ઝાલા, હર્ષદકુમાર ડોરિયા તથા મયુદ્દીનભાઈ સૈયદને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન.ચૌધરીના માર્ગદર્શન મુજબ એસઓજીના પીએસઆઇ જે.ડી.પરમાર સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન બાલંભા ગામની સીમમાંથી અયુબ જુસબ જશરાયાને ઝડપી લીધો હતો અને જોડિયા પોલીસ સ્ટેશનને સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular