Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરઆમરા ગામમાં બ્રેકર મશીનનો વાયર તૂટતા વીજશોકથી યુવાનનું મોત

આમરા ગામમાં બ્રેકર મશીનનો વાયર તૂટતા વીજશોકથી યુવાનનું મોત

રવિવારે બપોરના સમયે પાણીનો ટાંકો બનાવવા ખાડો ખોદતા બનાવ: સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા: પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતો યુવાન તેના ઘર પાસે પાણીનો ટાંકો બનાવવા બ્રેકર થી ખાડો ખોદતો હતો તે દરમિયાન વાયર તૂટી જતા વીજશોક લાગતા અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતા રમેશભાઈ ખીમજીભાઈ ધારવિયા (ઉ.વ.43) નામના સતવારા યુવાન ગત તા.30 ના રોજ બપોરના સમયે તેના ઘરે પાસે પાણીનો ટાંકો બનાવવા માટે બ્રેકર મશીનથી ખાડો ખોદવાનું કામ કરતો હતો. આ સમયે અચાનક જ બ્રેકરનો વાયર તૂટી જતાં યુવાનને વીજશોક લાગતા બેશુધ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મંગળવારે બપોરના સમયે તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ મણિલાલ દ્વારા જાણ કરાતા હેકો જે.જી. રાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular