Wednesday, October 23, 2024
Homeરાજ્યહાલારસમાણા એરફોર્સમાં જવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

સમાણા એરફોર્સમાં જવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

ઉત્તરાખંડના વતની યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું: પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ

- Advertisement -

જામજોધપુર તાલુકાના સમાણા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવાને કોઇ અગમ્યકારણોસર તેના કવાર્ટરની છતના પંખામાં કાપડના પટ્ટાવાડી દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના કઠધરીયાનો વતની અને હાલ જામજોધપુર તાલુકાના સમાણા રડાર એરફોર્સ સ્ટેશન કવાર્ટસ નંબર એસએમકયુ નંબર 40/1 માં રહેતો ચેતનસિંહ દિનેશસિંહ બિસ્ટ (ઉ.વ.32) નામના જવાને ગુરૂવારે રાત્રિના સમયે કોઇ અગમ્યકારણોસર તેના કવાર્ટરની છતના પંખામાં કાપડના પટ્ટાવાળી દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની દિપકસિંહ ગોસાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular