Friday, April 26, 2024
Homeરાજ્યજામનગરઝળહળતી રોશનીથી સજ્જ કરાયેલા જામનગરના પ્રતાપ વિલાસ પેલેસનો ભવ્ય નજારો

ઝળહળતી રોશનીથી સજ્જ કરાયેલા જામનગરના પ્રતાપ વિલાસ પેલેસનો ભવ્ય નજારો

- Advertisement -

જામનગરમાં માજી રાજવી શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજા (જામસાહેબ) દ્વારા ઈશા ફાઉન્ડેશન ના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ એવા સદગુરુ જગ્ગી વાસુદેવ ને આવકારવા માટે નો વિશેષ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે જામનગરની શાન સમા પ્રતાપ વિલાસ પેલેસ ને પણ ઝળહળતી રંગબીરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. માજી રાજવી હિઝ હોલીનેઝ જામસાહેબ દ્વારા વિશેષ પ્રકારની લાઇટોની રોશની સાથે જામનગરના પ્રતાપ વિલાસ પેલેસને શણગારવામાં આવ્યો છે. જેનો જાજરમાન અને ભવ્ય નજારો નિહાળી શકાય છે. પ્રતાપ વિલાસ પેલેસ નો ભવ્ય નજારો નિહાળી ને અનેક શહેરીજનો આનંદિત થયા હતા. (વિડીયોગ્રાફી- તસ્વીરો. જગત રાવલ)

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular