Friday, March 29, 2024
Homeરાજ્યરાજકોટમાં રિસોર્ટના રૂમમાં આગ ફાટી નીકળી, બહારથી દરવાજો બંધ હોવાથી 8 મજૂરો...

રાજકોટમાં રિસોર્ટના રૂમમાં આગ ફાટી નીકળી, બહારથી દરવાજો બંધ હોવાથી 8 મજૂરો દાઝ્યા

- Advertisement -

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટના એક રૂમમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. જેમાં રાજસ્થાનના 8મજુરો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રૂમનો દરવાજો બહારથી બંધ હોવાથી મજુરો આગની ચપેટમાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી છે.

- Advertisement -

નિરાલી રિસોર્ટમાં નોકરી કરનાર મજુરો રાત્રી દરમિયાન રૂમમાં સૂતા હતા ત્યારે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. દાઝેલા તમામ કર્મચારી રાજસ્થાનના ડુંગરપુરના વતની છે. રિસોર્ટની પાછળના રૂમમાં રહેતા કર્મચારીઓનો સામાન આગમાં ખાખ થઇ ગયો છે. રૂમનો દરવાજો બહારથી કોણે બંધ કર્યો તે તપાસનો વિષય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કીટના પરિણામે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આગનું કારણ જાણવા FSLની મદદ લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular