જામનગર જીલ્લા પંચાયત નાં પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઇ આહીર તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ નાં સંગઠન મહામંત્રી પ્રદિપસિંહ વાળા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીનાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
શુક્રવાર ના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીનાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત ના ખેડૂતો માટે ગેરંટી નાં કાર્યક્રમ માં ખેડૂતો ને રુપિયા બે લાખ ની લોન માફી તથા વિજળી દિવસે ૧૨ કલાક તથા ખેડૂતો ની જણસી પોષણ ક્ષમ ભાવો તથા જમીન ની રીસવૅ દ્વારા ફરીથી જમીન માપણી કરવા તથા દરેક ડેમ ની જાળવણી અને નમૅદા ડેમ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો ની જમીન માટે પિયત માટે પાણી આપવા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીનાં મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું હતું. આ કાયૅક્રમમાં જામનગર જીલ્લા અને અન્ય જીલ્લા નાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના અનેક હોદેદારો વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
જેમાં મુખ્યત્વે જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પાંચ પૂર્વ કોર્પોરેટરો જોડાયા હતા તથા જામનગર જીલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઇ આહીર તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ નાં પૂર્વ સંગઠન મહામંત્રી પ્રદિપસિંહ વાળા તથા બહોળી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ નાં હસ્તે ખેસ અને ટોપી પહેરી વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.