જામજોધપુરના ધ્રાફા ગામે રહેતાં ખેડૂતે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આપઘાતનું કારણ જાણવા સહિતના મુદ્દે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે રહેતા અને ખેતીકામ કરતાં દીપકસિંહ જીલુભા જાડેજા (ઉ.વ.55) નામના ખેડૂતે તા. 18ના સવારના સમયે અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં આવેલ લીમડાના ઝાડમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે શિવરાજસિંહ મજબૂતસિંહ જાડેજા દ્વારા પોલીસને જાણ કરાતા શેઠવડાળા હે. કો. એન. એન. આશાણી તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી હતી.


