Tuesday, September 8, 2026
Homeરાજ્યહાલારઆણંદપર ગામ નજીક મોટરકારે બાઈકને ઠોકર મારતા યુવાનનું મોત

આણંદપર ગામ નજીક મોટરકારે બાઈકને ઠોકર મારતા યુવાનનું મોત

કાલાવડ-રાજકોટ હાઈ-વે ઉપર આણંદપર ગામ નજીક મોટરકાર ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી મોટરસાઈકલને ઠોકર મારતા બાઈકમાં સવાર યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતાં માનશીબેન મનોજભાઈ માજીએ જીજે-05-સીઆર-0072 નંબરના કારચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર જીજે-05-સીઆર-0072 નંબરના કારચાલકે પોતાની મોટરકાર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી જીજે-03-જેએફ-9749 નંબરના મોટરસાઈકલને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઈકલમાં સવાર મનોજભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular