જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર ગળેટુંપો ખાઇ જીંદગી ટુકાવ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં ધરારનગર-2 વિસ્તારમાં પાવર હાઉસની બાજુમાં રહેતા અને ઘરકામ કરતા સાહિદાબેન હુસેનભાઇ થઇમ (ઉ.વ.24) નામની યુવતીએ ગુરૂવારે રાત્રીના સમયે તેણીના ઘરે અગમ્ય કારણોસર રૂમના પંખામાં ચુંદડી વડે આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઇ મોહસીન દ્વારા જાણ કરતા હે.કો. ડી.એન. ત્રિવેદી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.


