જામનગરમાં કુંવરબાઇ જૈન ધર્મશાળા ખાતે આજરોજ જામનગરના જૈન સંઘો દ્વારા કરૂણા આયંબીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે હજારો નિર્દોષ પશુઓની ધર્મના નામે હિંસા થશે ત્યારે તેમની શાતા-સમાધી મળે અને હિંસા કરનારાઓને સદબુઘ્ધિ મળે તે માટે પરમપૂજય પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્યની કૃપાથી પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ વિજય મનમોહન સુરીશ્વરજી મહારાજ, પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ વિજય હેમપ્રભુરીશ્વરજી મહારાજના આર્શિવાદ અને પ્રેરણાથી જામનગરમાં કરૂણા આયંબિલ 8નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગરના જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
View this post on Instagram


