Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરસગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં અદાલત દ્વારા આરોપીને 20 વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે અને ભોગ બનનારને વળતર પેટે રૂા.4 લાખ ચૂકવવા હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર ઉંમર વર્ષ 15 વર્ષ 9 માસ વાળીને આ કામના આરોપી પરેશ પ્રભાત ડાંગી રહેવાસી સોરઠ ગામ તાલુકો કાલાવડ વાળાએ ભોગ બનનાર સાથે મજૂરી કામ કરવા માટે આવતો હોય તેથી ભોગ બનનાર સાથે પરિચય કેળવી લલચાવી ફોસલાવી હું તને પ્રેમ કરું છું અને મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહી લીંબુડી ના બગીચામાં 3થી 4 મહિનામાં 7 થી 8 વખત ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને ગત તારીખ 24 /11/ 2020 ના રોજ લીંબુડી ના બગીચામાં મજૂરી કામ કરતા હતા ત્યારે ભોગ બનનારને મારે તારી સાથે લગ્ન કરવા છે ચાલ આપણે ભાગી જઈએ તેવી લાલચ આપી ભોગ બનનારને ભગાડી ગયો હતો. અને વિવિધ ગામોમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ સોરઠ ગામમાં મજુરી કામ માટે રહેતા હોય અને ત્યાં પોલીસ આવી જતા ભોગ બનનારને આરોપી સાથે ઝડપી લીધા હતાં.

આ અંગે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે 16 જેટલા સાક્ષીઓ તેમજ દસ્તાવેજી પુરાવો તથા સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી આ કામના આરોપીને તકસીરવાન ઠરાવી પોકસો કલમ ચાર મુજબ દસ વર્ષની સખત કેદની સજા તથા 10,000 દંડ અને દંડ ના ભરે તો વધુ બે વર્ષની સજા તેમજ પોકસો કલમ 6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા 5000 દંડ અને દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા 4 લાખ ચૂકવવા તેઓ હુકમ સ્પેશિયલ કોર્ટના જજ આર પી મોગેરાએ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીવાદી રોકાયેલા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular