ઓખા – બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજને લોકોને અર્પણ કરવા માટે તારીખ 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેવભૂમિ દ્વારકા ખાતે આગમન થઈ રહ્યું છે. જેને અનુલક્ષીને મંગળવારે ભાજપના આગેવાનો હોદ્દેદારોએ દ્વારકા ખાતે ખાસ બેઠક યોજી હતી. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા સાથે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના ભાજપના આગેવાનો-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૌપ્રથમ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને આગામી કાર્યક્રમો અંગે મહત્વની બેઠકમાં ચર્ચા વિચારણાઓ કરી હતી. તેમની સાથે જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, જિલ્લા મંત્રી રાજુભાઈ ભરવાડ વિગેરે પણ જોડાયા હતા.