Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીય‘આપ’ના વધુ 4 નેતાઓને ઇડીની કાર્યવાહી અને ધરપકડનો ડર

‘આપ’ના વધુ 4 નેતાઓને ઇડીની કાર્યવાહી અને ધરપકડનો ડર

- Advertisement -

દારૂ નીતિ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 23 માર્ચે પોતાની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આના પર, 27 માર્ચે, કોર્ટે ઇડીને નોટિસ પાઠવી હતી અને તેનો જવાબ માંગ્યો હતો. ઇડી આ મામલે આજે વિગતવાર જવાબ દાખલ કરશે. આ કેસની સુનાવણી આવતીકાલે એટલે કે 3જી એપ્રિલે થશે. તેમની ધરપકડ ઉપરાંત, 21 માર્ચે ધરપકડ કરાયેલ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટના રિમાન્ડના નિર્ણયને પણ પડકાર્યો હતો. વાસ્તવમાં, રાઉઝ એવન્યુ કોર્ટે તેને 28 માર્ચ સુધી ઇડી રિમાન્ડ પર મોકલ્યો હતો, જે બાદમાં 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યો હતો. જ્યારે 1 એપ્રિલે આ કેસની સુનાવણી થઈ ત્યારે કોર્ટે તેને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર મોકલી દીધો હતો.

- Advertisement -

અહીં કેજરીવાલના મંત્રી આતિશીએ 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી અને દાવો કર્યો કે તેમના નજીકના કેટલાક લોકોએ તેમનો સંપર્ક કર્યો છે. તેમણે ભાજપમાં જોડાવા માટે મારો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપમાં જોડાઓ નહીં તો આગામી એક મહિનામાં તમારી પણ ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવશે.

આતિશીએ કહ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં મારા અને મારા સંબંધીઓના ઘર પર ઇડી દરોડા પાડશે. તે પછી, અમને બધાને સમન્સ મોકલવામાં આવશે અને તે પછી તરત જ અમારી ધરપકડ કરવામાં આવશે.

- Advertisement -

જો કેજરીવાલ રાજીનામું આપે તો ભાજપ માટે સરળ જઘઙ તૈયાર થઈ જશે. દરેક વિપક્ષી મુખ્યમંત્રી સામે ઇડી દ્વારા કેસ દાખલ કરો અને તેમની ધરપકડ કરો. કહો કે બંધારણીય કટોકટી છે, રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે. તેમના માટે આનાથી સરળ રસ્તો કયો હોઈ શકે? તેવું આતિશી માર્લેનાએ જણાવ્યું હતું.

આતિશીએ કહ્યું- પહેલા તમામ ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. હવે ભાજપ આગામી 2 મહિનામાં લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના વધુ 4 નેતાઓની ધરપકડ કરવા માંગે છે. મારી ધરપકડ કરશે, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular