Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરલાખાબાવળના શ્રમિક યુવાને જામનગરમાં દવા ગટગટાવી

લાખાબાવળના શ્રમિક યુવાને જામનગરમાં દવા ગટગટાવી

રાજ ચેમ્બર પાસે સોમવારે દવા પીધી : સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર શહેરના રાજચેમ્બરની બાજુમાં લાખાબાવળમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાને અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામના મફત પ્લોટ ઈન્દીરા આવાસમાં રહેતાં અશોક મેઘજીભાઈ મકવાણા (ઉ.વ.33) નામના મજૂરી કામ કરતા યુવાને સોમવારે સવારના સમયે જામનગર શહેરમાં રાજ ચેમ્બરની બાજુમાં અગમ્યકારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા શ્રમિક યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મેઘજીભાઈ મકવાણા દ્વારા જાણ કરવામાં આવતા હેકો એમ.આર. ડાંગર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા પૂછપરછ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular