Thursday, September 17, 2026
Homeરાજ્યહાલારલિવરની સારવાર દરમ્યાન યુવાનનું મૃત્યુ

લિવરની સારવાર દરમ્યાન યુવાનનું મૃત્યુ

ધ્રોલના આનંદનગર સોસાયટીમાં રહેતાં યુવાનને લીવરની સારવાર ચાલુ હોય તબિયત લથડતાં જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના આનંદનગર સોસાયટીમાં રહેતાં અને પીજીવીસીએલમાં નોકરી કરતાં જયેન્દ્રસિંહ કાયુભા જાડેજા (ઉ.વ.46) નામના યુવાનને છેલ્લા બે વર્ષથી લીવરની સારવાર ચાલુ હોય આ દરમ્યાન વધુ તબિયત ખરાબ થતાં તા. 11ના સાંજે જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સારવાર કારગત ન નિવડતા તા. 16ના તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે જયદીપસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા ધ્રોલ હે.કો. સી. જે. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular