Friday, February 14, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસમિશ્ર ઋતુમાં સ્વાસ્થ્ય પર સારું રાખવા શું કરશો??

મિશ્ર ઋતુમાં સ્વાસ્થ્ય પર સારું રાખવા શું કરશો??

- Advertisement -

ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં હાલ મિશ્ર ઋતનું વાતાવરણ બની ગયું છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી લાગે છે તો વળી બપોરના કે દિવસના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગે તો અમુક રાજ્યોમાં વરસાદની આગાહી પણ કરી છે ત્યારે જામનગર સહિત ગુજરાતના ઘણાં જીલ્લામાં વાદયછાયુ વાતાવરણ જોવા મળે છે. ત્યારે આ મિશ્ર ઋતુમાં સ્વાસ્થ્યને સારું રાખવા માટે શું કરવું જોઇએ ચાલો જાણીએ.

- Advertisement -

મિશ્ર ઋતુ એટલે કે, ઠંડી પુરી થાય અને ગરમીની શરૂઆત થાય ત્યારે શરીરમાં કેટલાંક ફેરફારો થતા હોય છે. ત્યારે શું તકેદારી રાખવી જોઇએ.

આહાર : હળવો, સુપારય આહાર લેવો જેમ કે, ખીચડી, દાળ-ભાત, શાકભાજી, ફળો વગેરે ઠંડા ખોરાક ને બદલે ગરમ ખોરાક લેવો જે શરીરને ગરમી આપે. પાણી વધુ પીવું જોઇએ. તેમજ તેલ મસાલાનો ઉપયોગ યોગ્ય વપરાશ કરવો જોઇએ.

- Advertisement -

વિહાર: હળવી કસરત કરો, શરીરને યોગ્ય આરામ પણ આપો, તણાવથી દૂર રહો, સૂર્ય પ્રકાશ લો.

આ ઉપરાંત આમળા, તુલસીના પાન, હળદરનું દુધ વગેરેનું સેવન કરો. જે ખુબ ફાયદાકારક છે.

- Advertisement -

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular