Saturday, July 27, 2024
Homeસ્પોર્ટ્સકોહલીને ફ્ળ્યાં મહાકાલના આશિર્વાદ, ફટકારી સદી

કોહલીને ફ્ળ્યાં મહાકાલના આશિર્વાદ, ફટકારી સદી

- Advertisement -

ભારતીય ટીમના લેજેન્ડ બેટસમેન વિરાટ કોહલીને મહાકાલના આશિર્વાદ ફ્રળ્યાં છે. લાંબા સમયથી ટેસ્ટમાં સદી માટે તરસતાં વિરાટ કોહલીએ અમદાવાદ ટેસ્ટ પહેલાં જ ઉજૈજનમાં પત્ની અનુષ્કા સાથે મહાકાલના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા. જે સફળ થયા હોય તેમ અમદાવાદ ટેસ્ટમાં કોહલીએ શાનદાર સદી ફટકારી છે.

- Advertisement -

અમદાવાદ ટેસ્ટમાં વિરાટ કોહલીના બેટમાંથી ભરપૂર રન વરસ્યા હતા. સ્ટિવ સ્મિથની આગેવાનીવાળી ઑસ્ટ્રેલિયા ટીમને કોહલીએ રીતસરની હંફાવી દીધી છે. કોહલીએ આ મેચમાં 186 રનની ઈનિંગ રમી હતી જે દરમિયાન તેના બેટમાંથી 15 ચોગ્ગા લાગ્યા હતા. નાથન લિયોન અને ટોડ મર્ફી જેવા સ્પિનરો વિરાટને આઉટ કરવા માટે ઝઝૂમતા રહ્યા પરંતુ વિરાટ અલગ જ ગેમ પ્લાન સાથે મેદાનમાં ઉતર્યો હતો. કોહલીના આઉટ થયા બાદ પત્ની અનુષ્કા શર્માએ મોટો ખુલાસો કર્યો છે. અનુષ્કાનું કહેવું છે કે, વિરાટ આ ઈનિંગ દરમિયાન સંપૂર્ણ રીતે ફિટ નહોતો. અનુષ્કાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોહલીની મેચની તસવીરને શેયર કરતાં લખ્યું કે, બીમારીમાં પણ રમવું અને મેદાન પર આ રીતે માનસિક સંતુલન જાળવી રાખવું મને અત્યંત પ્રેરિત કરે છે. વિરાટ આ મુકાબલાના અંત સુધી લડ્યો હતો. ચોથા દિવસની રમત દરમિયાન ત્રીજા સેશનમાં અક્ષર પટેલ ઝડપથી રન બનાવી રહ્યો હતો તો કોહલી પોતાની બેવડી સદી તરફ આગળ વધી રહ્યો હતો. અક્ષર 79 રન બનાવીને આઉટ થઈ ગયો જેના કારણે કોહલી ક્રિઝ પર એકલો પડી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular