Wednesday, October 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના હાપા લાખાસર નજીક કાર પલ્ટી ખાઈ જતાં બે યુવાનોના મોત

ખંભાળિયાના હાપા લાખાસર નજીક કાર પલ્ટી ખાઈ જતાં બે યુવાનોના મોત

મંગળવારે બપોરે કાર પરનો કાબુ ગુમાવ્યો : ઈજાગ્રસ્ત યુવાનોની સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

ખંભાળિયા નજીકના હાપા લાખાસર વિસ્તારમાંથી ગઈકાલે બપોરે બે યુવાનો સાથેની મોટરકાર અકસ્માતગ્રસ્ત થતા તેમાં સવાર બંને યુવાનોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા.

- Advertisement -

આ કરૂણ બનાવવાની વિગત એવી છે કે, ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી સોરઠીયા વાડી નજીક રહેતા શ્યામ નારણભાઈ ધારાણી નામના 22 વર્ષના યુવાન તેમના મિત્ર કૈલાશ નાથાભાઈ ધામેચા (ઉ.વ. 26, રહે. વાછરા ડાડાના મંદિર પાસે, શક્તિનગર) ને સાથે લઈને તેમની જી.જે. 37 બી. 8181 નંબરની મારુતિ બલેનો મોટરકારમાં ખંભાળિયા તરફ આવી રહ્યા હતા. ત્યારે ગઈકાલે મંગળવારે બપોરે આશરે અઢી વાગ્યાના સમયે ખંભાળિયા – લાલપુર માર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર હાપા લાખાસર ગામે પહોંચતાં પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલી આ બલેનો કાર પર તેના ચાલક શ્યામ ધારાણીએ કાબુ ગુમાવી દીધો હતો. જેના પરિણામે આ મોટરકાર પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માત અંગેની જાણ કરાતા ઈમરજન્સી 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત બંને યુવાનોને હોસ્પિટલમાં ખસેડવા અંગેની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં જઈ રહેલા બંને યુવાનો શ્યામ ધારાણી તેમજ કૈલાસ ધામેચાને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભાયાભાઈ નારણભાઈ (ઉ.વ. 30, રહે. શક્તિનગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કારના ચાલક શ્યામ નારણભાઈ ધારાણી સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

આ અંગે આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. અકસ્માતના આ બનાવે મૃતક યુવાનોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular