Thursday, April 18, 2024
Homeરાજ્યજામનગરકોરોનાની સારવાર મળે તે પૂર્વે જ રિક્ષામાં તથા એમ્બ્યુલન્સમાં બે દર્દીઓના મોત

કોરોનાની સારવાર મળે તે પૂર્વે જ રિક્ષામાં તથા એમ્બ્યુલન્સમાં બે દર્દીઓના મોત

- Advertisement -

જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે જી.જી.હોસ્પિટલ પણ હાઉસફૂલ થઇ રહી છે. જી.જી.હોસ્પિટલમાં ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં દર્દીઓ આવી ચૂકયા છે. કોવિડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સોને લાંબી કતારો લાગી છે. ત્યારે કોરોના દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા ન મળતાં દર્દીઓ હોસ્પિટલની બહાર જ મોત ને ભેટી રહ્યા છે. શેખપાટથી આવેલાં 60 વર્ષના વૃધ્ધા ને સારવાર ન મળતાં હોસ્પિટલની બહાર રિક્ષામાં જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત 108માં ધ્રોલ ગામના 78 વર્ષિય વૃધ્ધાનું પણ હોસ્પિટલમાં સારવાર મળે તે પૂર્વે મૃત્યુ થયું હતું.

- Advertisement -

જામનગરની જી.જી.હોસ્પિટલ ફૂલ થઇ ચૂકી છે. જેને કારણે હોસ્પિટલની બહાર કોરોના દર્દીઓનું લાબું વેઇટીંગ છે. હોસ્પિટલની બહાર સારવાર માટે દાખલ થવાની રાહ જોઇ રહેલાં દર્દીઓ વાહનોમાં જ અંતિમ શ્ર્વાસ લઇ રહ્યાના બનાવો પણ સામે આવવા લાગ્યા છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 2000 સુધી પહોંચી ચૂકી છે. હોસ્પિટલમાં કોઇને હવે સમાવી શકાય તેમ નથી. ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોના દર્દીઓ સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી.હોસ્પિટલની સારવાર માટે આવી રહ્યા છે. પરંતુ જગ્યાના અભાવે કેટલાંક દર્દીઓની એમ્બ્યુલન્સોમાં તેમજ ખાનગી વાહનોમાં સારવાર કરાઇ રહી છે તેમ છતાં હોસ્પિટલ પહોંચે એ દરમ્યાન જ હોસ્પિટલની બહાર જ વાહનોમાં દર્દીઓ અંતિમ શ્ર્વાસ લઇ રહ્યા છે. લાબાં સમય સુધી સારવાર માટે દાખલ થવાની રાહ જોતાં દર્દીઓનું એમ્બ્યુલન્સમાં મૃત્યુ થઇ રહ્યું છે.

શેખપાટના 60 વર્ષિય વૃધ્ધાને સારવાર માટે રિક્ષામાં જી.જી. હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. પરંતુ રિક્ષામાં જ તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હતાં. જયારે અન્ય એક બનાવમાં ધ્રોલના 78 વર્ષિય વૃધ્ધાને 108 એમ્બ્યુલન્સમાં કોરોના સારવાર માટે જી.જી.હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. પરંતુ એક તરફ લાબું વેઇટીંગ હોય એમ્બ્યુલન્સમાં તેમનું મૃત્યું થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular