કલ્યાણપુર તાલુકના ભાટીયા-હર્ષદપુર રોડ પરથી પુરપાટ આવી રહેલી બાઇક સામેથી આવતા બાઈક સાથે ધડકાાભેર અથડાતા અકસ્માતમાં બાઇકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યરે અન્ય વ્યક્તિને ઈજા પહોંચી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મૂળ વતની અને હાલ જામનગરના સરદાર નગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ મથુરભાઈ ડાભી નામના 36 વર્ષના સતવારા યુવાન તેમના જી.જે. 10 બી.ઈ. 9047 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાટીયા – હર્ષદ રોડ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 એફ 5835 નંબરના મોટરસાયકલના ચાલક દેવશી કાનાભાઈ કોટાએ મનસુખભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ગોપાલભાઈ મથુરભાઈ ડાભી (ઉ.વ. 38, રહે. જામનગર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે બાઈક ચાલક દેવશી કાનાભાઈ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. વી.આર. શુક્લા દ્વારા હાથ ધરવામાં આવી છે.