દ્વારકાના અણિયારી ગામમાં રહેતાં યુવાન નબળી આર્થિક પરિસ્થિતિ અને કામધંધો નહીં મળવાથી જિંદગીથી કંટાળીને ટ્રેન હેઠળ પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગત મુજબ દ્વારકા તાબેના અણીયારી ગામે રહેતા સુકાભા હઠીયાભા માણેક (ઉ.વ.30) નામના હિન્દુ વાઘેર યુવાનના ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે તેમને કોઈ કામ ધંધો મળતો ન હતો. જેથી તે કામઅર્થે દ્વારકા ગયા હતા, પરંતુ અહીં પણ તેમને કોઈ કામ ધંધો ન મળતા આ બાબતે તેમને મનમાં લાગી આવ્યું હતું. જેથી ગુરુવારે સવારે રેલવે ટ્રેક પર વંદે ભારત ટ્રેન હેઠળ પડતું મૂકીને તેમણે જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ વેરશીભા માણેકએ પોલીસને કરતાં તપાસ આદરી હતી.


