Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરપતિ દ્વારા કરાયેલી શંકાનું લાગી આવતા પત્નીએ જિંદગી ટૂંકાવી

પતિ દ્વારા કરાયેલી શંકાનું લાગી આવતા પત્નીએ જિંદગી ટૂંકાવી

- Advertisement -

જામનગર તાલુકાના ઢંઢા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતી મહિલા કોઇ સાથે ફોનમાં વાત કરતી હોય તેવા સવાલો તેના પતિ દ્વારા કરવામાં આવતા તે બાબતુનું લાગી આવતા જાંબુડાના ઝાડ સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ધોધસા ગામના વતની અને હાલ જામનગર તાલુકાના ઢંઢા ગામની સીમમાં આવેલી સંજયભાઈના ખેતરમાં મજૂરી કામ કરતી શબરીબેન ભિકલા ભિન્ડે (ઉ.વ.29) નામના મહિલા કોઇ સાથે ફોનમાં વાત કરતી હોય તેવા સવાલો તેણીના ભિકલા ભિન્ડે દ્વારા કરવામાં આવતા આ બાબતનું મનમાં લાગી આવ્યું હતું. જેથી મહિલાએ ગુરૂવારે સાંજના સમયે તેના ખેતરમાં જાંબુડાના ઝાડ સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના પતિ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular