Saturday, July 27, 2024
Homeરાજ્યગુજરાતદાહોદના સુખપર પોલીસ સ્ટેશનના રાયોટીંગ તથા મારામારીના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

દાહોદના સુખપર પોલીસ સ્ટેશનના રાયોટીંગ તથા મારામારીના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે દાહોદના સુખપર પોલીસ સ્ટેશનના રાયોટીંગ તથા મારામારીના કેસમાં નાસતા ફરતા આરોપીને બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈંગોરાળા ગામેથી ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દાહોદના સુખપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાયોટીંગ તથા મારામારીના કેસનો આરોપી રમેશ વાલા કિશોરી છેલ્લાં 13 વર્ષથી નાસતો ફરતો હોય આ દરમિયાન હાલમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈંગોરાળા ગામે વાડી વિસ્તારમાં રહેતો હોવાની જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના ભરતભાઈ ડાંગર, સલીમભાઇ નોયડા, ગોવિંદભાઈ ભરવાડને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઇ બી એન ચૌધરીના માર્ગદર્શન મુજબ જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એલ.જે.મિયાત્રા, એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, હેકો સલીમભાઈ નોયડા, ભગીરથસિંહ સરવૈયા, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા,તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રમેશ વાલા કિશોરી નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે દાહોદના સુખપર પોલીસ સ્ટેશનને જાણ કરી જામનગર સીટી એ પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular