જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતા વૃધ્ધે પથરીના દુખાવાથી કંટાળીને સીડીની ગ્રીલમાં દોરી વડે ગળેફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી સહજાનંદ સોસાયટી-રમાં રહેતા નિવૃત્ત દેવસીભાઇ પોપટભાઇ કપુરીયા (ઉ.વર્ષ 85) નામના વૃધ્ધને છેલ્લા 6 માસથી પથરીનો દુખાવો થતો હતો અને સારવાર કરાવવા છતાં તબિયમાં સુધારો ન થવાથી જીંદગીથી કંટાળીને 26મી જાન્યુઆરીના બપોરના સમયે તેના ઘરે સીડીની ગ્રીલમાં દોરી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પુત્ર મનસુખભાઇ દ્વારા જાણ કરાતાં હે.કો. ડી.આર. કાંબરિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.