Thursday, March 28, 2024
Homeરાજ્યજામજોધપુરના સાતવડમાં બીમારીથી કંટાળી યુવતીનો આપઘાત

જામજોધપુરના સાતવડમાં બીમારીથી કંટાળી યુવતીનો આપઘાત

મજૂરીકામ કરતી યુવતીએ માનસિક સ્થિતિ સારી ન હોવાથી દવા ગટગટાવી: સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

- Advertisement -

જામજોધપુર તાલુકાના સાતવડ ગામમાં રહેતી યુવતીએ તેની માનસિક સ્થિતિને કારણે જિંદગીથી કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સાતવડની સીમમાં આવેલી ચંદુભાઈ જાવીયાની ખેતરમાં મજૂરીકામ કરતા મનસુખભાઈ મકવાણા નામના પ્રૌઢની પુત્રી મનિષાબેન મનસુખભાઈ મકવાણા (ઉ.વ.21) નામની મજૂરી કામ કરતી યુવતીની છેલ્લાં ત્રણ-ચાર દિવસથી માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી જિંદગીથી કંટાળીને મંગળવારે સાંજના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મનસુખભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.બી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular