Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં નોનવેજની સાત દુકાનો બંધ કરાવાઇ

જામનગરમાં નોનવેજની સાત દુકાનો બંધ કરાવાઇ

ફૂટ લાયસન્સ, સફાઇ સહીતના નિયમોના પાલનના અભાવે કાર્યવાહી

જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા ફૂડ લાયસન્સ, સફાઇ સહીતના નિયમોના પાલનના અભાવ સહિતના મુદ્રા લઇ શહેરમાં સાત જેટલી નોનવેજની દુકાનો બંધ કરવમાં આવી હતી.

- Advertisement -

કમિશનર ડી.એન. મોદીની સૂચના અન્વયે જામ્યુકો ફૂટ શાખા દ્વારા પાણાખાણ, ગોકુલનગર વિસ્તારમાં નોનવેજ વેચાણ/સંગ્રહ કરતી પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. જેમાં પાણખાણ ગોકુલનગરમાં રઝવી ચીકન/ફીશ શોપ, કિસ્મત ચીકન સેન્ટર, શબ્બીર ચીકન શોપ, હની ચીકન શોપ, કિસ્મત ચીકન શોપ, એસકેકે ચીકન શોપ, ન્યુ બોમ્બે બિરયાની સહીત સાત દુતકાનો ફૂડ લાયસન્સ ધરાવતાં ન હોય, અનહાઇઝેનીક પ્રેકટીસ, ગ્લેસ ટાઇલ્સ, વાઇટવોશ, યોગ્ય સાફ-સફાઇ ન જણાતાં વેપાર સદંતર બંધ કરાવી હાઇજેનીક કંડીશન સુધારા માટે લેખિત નોટીસ અપાઇ હતી. તેમજ ફૂડ લાયસન્સ ન મેળવે તે જરુરી સુધારા વધારા થાય ત્યાં સુધી પેઢીઓ બંધ કરાવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular