Tuesday, April 16, 2024
Homeરાજ્યગુજરાતખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટેના રેમડેસિવિર ઇન્જેકશન સરકારમાંથી મેળવવાના

ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટેના રેમડેસિવિર ઇન્જેકશન સરકારમાંથી મેળવવાના

હોમ કવોરન્ટાઇન દર્દીઓ માટે તબીબો આ ઇન્જેકશન પ્રિસ્ક્રાઇબ નહીં કરી શકે

- Advertisement -

ગુજરાત સરકારે હાલ રેમડેસિવિરને ઇંજેક્શનના પુરવઠાને લઇને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ કોઇપણ હોસ્પિટલને દર્દી માટે રેમડેસિવિરના જથ્થાની જરૂર હશે, તો તેઓએ જાતે જ સરકારમાં અરજી કરીને તે મેળવવાના રહેશે. સરકારની મંજૂરી મળી હોય તેટલાં જ જથ્થામાં ઇન્જેક્શન તેઓને મળશે. કોઇપણ હોસ્પિટલ દર્દીના સગાંને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર મેળવવા જણાવી શકશે નહીં.

- Advertisement -

આ ઉપરાંત સરકારે અન્ય નિર્ણય લીધો છે કે દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન જોઇતું હોય તો તેઓ ઇન્ડોર પેશન્ટ એટલે કે હોસ્પિટલમાં દાખલ હોય તેવાં દર્દી હોવા જોઇશે. હોમ ક્વોરન્ટાઇન હોય તેવાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન છતાં મળી શકશે નહીં.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર જરૂરિયાત ન હોય તેવાં કિસ્સામાં ઉઠેલી રેમડેસિવિરની કૃત્રિમ માગને કારણે પણ રેમડેસિવીરનો જથ્થો ખૂટી પડે તેવી સ્થિતિ હોવાથી સરકારને આ પ્રકારે આકરો નિર્ણય લેવો પડ્યો છે. તેમ છતાં જરૂરિયાત હોય તેવાં દર્દીઓને રેમડેસિવિરનો જથ્થો અવશ્ય મળી જ રહેશે તે પણ સરકારે સુનિશ્ચિત કર્યું છે.

- Advertisement -

રાજ્ય સરકાર હાલ દેશની રેમડેસિવિર બનાવતી સાત કંપનીઓ પૈકી ઘણી કંપનીઓ પાસેથી રેમડેસિવિરનો જથ્થો મેળવી રહી છે અને હાલ આ કંપનીઓએ પોતાનું ઉત્પાદન પણ અનેકગણું વધાર્યું છે. ત્રણથી ચાર જ દિવસમાં રાજ્યમાં જોઇતી માગને પહોંચી વળાય તેટલો જથ્થો ઉપલબ્ધ હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular