Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડાથી રાહત

જામનગર જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડાથી રાહત

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. રવિવાર અને સોમવારના મૃત્યુના દરમાં ધરખમ ઉછાળો આવ્યા પછી રાહતના સમાચાર મળ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. સાથોસાથ કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. જામનગર શહેરના માત્ર ત્રણ કેસ નોંધાયા છે, તે જ રીતે જામનગર ગ્રામ્યના પણ માત્ર ત્રણ કેસ નોંધાયા છે. જોકે શહેરના એક પણ દર્દીને રજા મળી નથી. પરંતુ ગ્રામ્યના બે દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંકડો સિંગલ ડિજિટમાં જ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. જેથી જામનગર જિલ્લામાં કુલ મૃત્યુનો આંક 1,036 નો યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના એ પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી પરંતું ગ્રામ્યના માત્ર 02 દર્દીઓને રજા આપવામાં આવી છે. જામનગર શહેરના છેલ્લા 24 કલાક દરમિયાન 03 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,790 નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ 03 કેસ નોંધાયા હોવાથી કુલ આંકડો 2,349 નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કુલ 10,139 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular