Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં ધાર્મિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વ્યક્તિઓની સંખ્યા પર મુકાયો વધુ...

રાજ્યમાં ધાર્મિક, રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વ્યક્તિઓની સંખ્યા પર મુકાયો વધુ કાપ

લગ્ન સમારંભમાં 150 વ્યક્તિઓને જ અપાઈ મંજુરી

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં  કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

- Advertisement -

આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે.

કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

- Advertisement -

બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે.

રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.

- Advertisement -

આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે

રાજ્ય સરકાર દ્વારા કોરોના  સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular