Thursday, March 28, 2024
Homeરાજ્યજામજોધપુરમાંથી આંતરરાજય તસ્કર ત્રિપુટીને ઝડપી લેતું એલસીબી

જામજોધપુરમાંથી આંતરરાજય તસ્કર ત્રિપુટીને ઝડપી લેતું એલસીબી

જામજોધપુર-કાલાવડ-લાલપુર પંથકમાંથી તસ્કર ત્રિપુટીએ 13 સ્થળોએ ચોરી આચરી : રોકડ અને સોના-ચાંદીના દાગીના અને છતર સહિત રૂા.2.84 લાખનો મુદ્દામાલ કબ્જે : રાજયના દસ જિલ્લાઓમાં અને મધ્યપ્રદેશ માંથી કુલ 41 ચોરી આચરી

- Advertisement -

જામજોધપુર અને કાલાવડના અલગ-અલગ સ્થળોએ ઘરફોડ ચોરી તથા મંદિર ચોરીમાં સંડોવાયેલી તસ્કર ત્રિપૂટીને જામજોધપુરમાં માર્કેટીંગ યાર્ડ રોડ પાસેથી એલસીબીની ટીમે દબોચી લઇ રોકડ રકમ, ચાંદીના છતર અને સોનાના દાગીના અને ધાતુની મુર્તી સહિત રૂા.2.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આંતરરાજય ગેંગના ત્રણ શખ્સોએ 41 ચોરીની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર અને કાલાવડમાં જુદાં-જુદાં સ્થળોએ ઘરફોડ ચોરી તેમજ મંદિર ચોરીમાં પરપ્રાંતિય તસ્કરોની સંડોવણી હોય તેમજ આ તસ્કર અંગેની એલસીબીના ધાનામોરી, ફિરોઝદલ, રઘુવિરસિંહ પરમાર, નિર્મળસિંહ એસ.જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી જામજોધપુરમાં માર્કેટીંગ યાર્ડ રોડ પરથી ત્રણ શખ્સોને ઝડપી લીધાં હતાં.

એલસીબીની ટીમે ઝડપેલાં દાહોદ જિલ્લાના વતની પ્રભુ મેઘજી બામણીયા, રાકેશ જેનૂ ભુરિયા, લખમણ ચનુ ભુરિયા નામની તસ્કર ત્રિપુટીની પુછપરછ કરતાં આ ત્રિપુટી ગુજરાત અને મધ્યપ્રદેશમાં અલગ-અલગ સ્થળોએથી રોકડ અને દાગીનાની ચોરીઓ કરતાં હતાં. તસ્કર ત્રિપુટીએ કુલ 41 ચોરી આર્ચયાની કેફિયત આપી હતી. જેનાં આધારે એલસીબી ટીમે તસ્કર ત્રિપુટી પાસેથી રોકડ રકમ અને ચાંદીના છતર તથા સોનાના દાગીના અને ધાતુની એક મુર્તી સહિતનો રૂા.2,84,970નો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તસ્કર ત્રિપુટીની પુછપરછમાં જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામના માતાજીના મંદિરમાંથી તેમજ જામજોધપુરમાં જલારામ મંદિર તથા ગાયત્રી મંદિર અને કાલાવડમાં રહેણાંક મકાનમાં તેમજ એક ગ્રામ્ય વિસ્તારમાં મકાનમાંથી ચોરી આચરી હતી.

ઉપરાંત રાજકોટ જિલ્લાના શાપરમાંથી ત્રણ, ગાંધીનગર જિલ્લામાંથી બે, મધ્યપ્રદેશના રતલામમાંથી એક સ્થળે, કાલાવડના જશાપર ગામની સ્કૂલમાંથી, કાલાવડ ધોરાજી રોડ પર કરીયાણાની દુકાન પર, લાલપુરમાં ભલારા ડાડાના મંદિરમાંથી, ભોળેશ્ર્વર મહાદેવના મંદિરમાંથી તથા અમરેલીમાં રહેણાંક મકાનમાંથી, ભરૂચમાં રહેણાંક મકાન, અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પાછળના મકાનમાંથી, ગાંગેળી ગામમાંથી ઘેટાં-બકરાની, કેશોદમાં તેલના કારખાનામાંથી, કાલાવડમાં કેબિનમાંથી, રાજકોટ કુવાડવા માર્ગ પર દુકાનમાંથી, કાલાડમાં એક મકાનમાંથી તેમજ કાલાવડમાં રણુજા રોડ પર આવેલાં પીયાવા હનુમાન મંદિર પાસેથી, ધ્રોલમાં એગ્રો દુકાનમાંથી રોકડની ચોરી સહિત 41 ચોરી પાંચ વર્ષમાં આચર્યાની કેફિયત આપી હતી. તેના આધારે એલસીબી ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular