Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયવડાપ્રધાન ગુજરાતમાં : કરોડોના પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાન ગુજરાતમાં : કરોડોના પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમને રિસિવ કરવા રાજ્યના મુખ્યમંત્રી અને શહેરના મેયર પ્રતિભા જૈન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી ૠઈખખઋની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપવા નમો સ્ટેડિયમમાં પહોંચી ગયા છે.

- Advertisement -

આજે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદથી બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. આ ઉપરાંત તેઓ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના ₹44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમ્યાન વડોદરા-મુંબઇ એક્સપ્રેસવેના પાદરા-મનુબાર માર્ગનું ઉદ્દઘાટન કરશે. આ માર્ગનું બાંધકામ પૂર્ણ થયું છે જેથી વડોદરાથી ભરૂચ અંકલેશ્ર્વર, સુરત અને મુંબઇ તરફના મુસાફરોને ઝડપી, સુરળ અને સુરક્ષિત મુસાફરી મળી શકશે. રાજ્યમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનું બાંધકામ ત્રણ ભાગમાં કરવામાં આવ્યું છે. મનુબારથી સાંપા સુધીનો 31 કિલોમીટર લાંબો માર્ગ 2400 કરોડના ખર્ચે, સાંપાથી પાદરા સુધીનો 32 કિલોમીટરનો માર્ગ 3200 કરોડના ખર્ચે અને પાદરીંથી વડોદરા સુધીનો 23 કિલોમીટરનો માર્ગ 4300 કરોડના ખર્ચે બન્યો છે.

- Advertisement -

આમ કુલ નેશનલ હાઇવે ઓથોરિટીના 10 હજાર કરોડના ખર્ચે બનેલા માર્ગનું લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે.મનુબાર ભરૂચ રેલવે સ્ટેશનથી સાત કિલોમીટર દૂર આવેલું છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદથી વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે અગાઉથી જ કાર્યરત છે, જ્યારે વડોદરાથી ભરૂચનો એક્સપ્રેસ હાઇવે મુસાફરો માટે ઉપયોગી થશે. વડોદરાથી ગોધરા સ્ટ્રેચ અને ભરૂચ- મુંબઈ ટ્રેચ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. દક્ષિણમાં 44000 કરોડના કામો, દક્ષિણના 11 જિલ્લાના 12 વિભાગોના કામો, 22500 કરોડના ખર્ચે નિર્મિત બે નવા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ, 10070 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના હિસ્સાનું લોકાર્પણ, સુરત મહાનગર અને સુડાના 5040 કરોડના કામો, 10 વિભાગોના 5400 કોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, ઉત્તર ગુજરાતમાં 13000 કરોડના કામો, ભારતનેટ ફેઝ-2 2042 કરોડ, 8030 પંચાયતોને લાભ, 2300 કરોડના રેલવેના પાંચ પ્રોજેક્ટ્સ, 1200 કરોડના જળ સંસાધન વિભાગના કામો, 1700 કરોડના માર્ગ-મકાન વિભાગના કામો, 394 કરોડના એરફોર્સ સ્ટેશન, ડીસાના રન-વેનું લોકાર્પણ કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular