Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતખોડલધામ પંચવર્ષિય પાટોત્સવ ઉજવણી : 1000થી વધુ જગ્યાએ એલઇડી સ્કિન મુકાશે

ખોડલધામ પંચવર્ષિય પાટોત્સવ ઉજવણી : 1000થી વધુ જગ્યાએ એલઇડી સ્કિન મુકાશે

ધ્વજારોહણ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે

- Advertisement -

ખોડલધામ મંદિરમાં બિરાજમાન માઁ ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આવતીકાલે પંચવર્ષીય પાટોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે. હાલની કોરોનાની પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઈને નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજવવાનું આયોજન કરાયું છે. તા. 21 જાન્યુઆરી લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક દિવસ હોય ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે 21 જાન્યુઆરીના દિવસે ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કર્યું છે. તેમજ ધ્વજારોહણ, મહાઆરતી, સમાજ શિરોમણી નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો 21 જાન્યુઆરીના રોજ સવારે 9 થી 10 વાગ્યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી આપવામાં આવશે. જે મહાસભાનું આયોજન કર્યું છે તે મહાસભા હાલ મોકૂફ રાખી છે. જેની નવી તારીખ સમય, સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર કરવામાં આવશે.

- Advertisement -

સરકારની ગાઈડલાઈન પ્રમાણે ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર 1000થી વધુ સ્થળે માઁ ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેગ્લોર સહિતની જગ્યાએ માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સીંગાપુર, કેન્યા, ઝામ્બિયા, આફ્રિકાના દેશોમાં પણ 21 જાન્યુઆરીના રોજ મા ખોડલની આરતીનું આયોજન કરાયું છે. પંચવર્ષીય પાટોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે 1000થી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન અને અન્ય જગ્યાએ ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે. આ સાથે જ 7 ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આમ માઁ ખોડલના ધ્વજારોહણ, મહાઆરતી અને નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો નિહાળવા માટે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી લાખો જ્ઞાતિબંધુઓ જોડાશે અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બની ગૌરવ અનુભવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular