Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરમોટાપાંચસરામાં કૂતરૂ આડુ ઉતરતા બ્રેક મારતાં બાઇકસવારનું મોત

મોટાપાંચસરામાં કૂતરૂ આડુ ઉતરતા બ્રેક મારતાં બાઇકસવારનું મોત

ઘરેથી ખેતરે જતાં સમયે ત્રણ દિવસ પહેલા સાંજના સમયે અકસ્માત : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી તપાસ

- Advertisement -

લાલપુર તાલુકાના મોટાપાંચસરા ગામમાં રહેતા અને ખેતી કરતો યુવાન બાઇક પર વાડીએ જતો હતો તે દરમિયાન કૂતરું આડુ ઉતરતા બ્રેક મારવા જતાં પડી જવાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના મોટાપાંચસરાનો વતની અને હાલ જામનગર શહેરના ગ્રિનસીટી શેરી નં. 3માં રહેતાં હરીશચંદ્ર દિગ્વિજ્યસિંહ જાડેજા (ઉ.વ.42) નામના ખેડૂત યુવાન ગતા. 22ના રોજ સાંજના સમયે તેના ઘરેથી બાઇક પર ખેતરે જતો હતો તે દરમિયાન મોટાપાંચસરા ગામની સીમમાં તેના વાડીના ગેઇટ પાસે પહોંચ્યો ત્યારે અચાનક જ કૂતરુ આડું ઉતરતા બ્રેક મારવા જતાં બાઇક પરથી નીચે પટકાયો હતો. તેના કારણે શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ શક્તિસિંહ દ્વારા જાણ કરવામાં આવતાં એએસઆઇ જે.આર. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular