Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરભારતીય સેનાને શાબાશી અને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરતાં જામસાહેબ

ભારતીય સેનાને શાબાશી અને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરતાં જામસાહેબ

ભારતીય સેનાની વીરતાને બિરદાવતા જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજ ભારતને એરસ્ટ્રાઇકના આ કાર્યને જામસાહેબએ વખાર્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ કહ્યું હતું કે, આપણું સાચા અર્થમાં ખુબ મહાન રાષ્ટ્ર છે. તે દુનિયાને બતાવવા બદલ વિશ્ર્વભરમાં રહેલા તમામ ખરા જાડેજાઓ વતી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે વડાપ્રધાન મોદીજીને કહ્યું કે, આપના નેતૃત્વમાં શૂરવીરોની વીરતા અને ચતૂરાઇ તેમજ અદ્ભૂત શસ્ત્રો સાથેની પ્રશંસનિય તાલીમ દ્વારા સમગ્ર વિશ્ર્વએ ભારતની અતૂલ્ય ક્ષમતા અને જુસ્સો જોયો છે.

- Advertisement -

ભારતીય સેનાને ખૂબ શાબાશી અને પરમ આદરણિય પ્રધાનમંત્રીનો ખૂબ આભાર ઐતિહાસિક મહત્ત્વ માટે મહત્વપૂર્ણ એવી મહાન સિઘ્ધિઓ માટે માતાજીએ આપને આશીર્વાદ આપે જય ભારત. આમ, આ રીતે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ભારતીય સેનાની વીરતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિર્ણયને વખાણ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular