જામનગર શહેરમાં અવાર-નવાર તકરાર, માથાકૂટ અને તોફાનો કરતા ગુનેગાર શખ્સને જામનગર-રાજકોટ-દેવભૂમિ દ્વારકા અને મોરબી સહિત ચાર જિલ્લાઓમાંથી છ માસ માટે તડીપાર કરી ભાવનગર મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં ખોડિયાર ડેરી પાસે રહેતાં બળદેવસિંહ ઉર્ફે બહાદૂરસિંહ ઉર્ફે લાલિયો સાહેબજી જાડેજા નામનો શખ્સ શહેરના રાંદલનગર અને પટેલ કોલોની વિસ્તારમાં અવાર-નવાર તકરાર અને માથાકૂટ કરતો હતો. સતત ગુનાહીત પ્રવૃત્તિઓ કરતા શખ્સ વિરૂધ્ધ જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જે.ભોયે, પીએસઆઈ વાય.બી.રાણા, એએસઆઈ મહેશસિંહ વાળા, હેકો અર્જુનસિંહ જાડેજા સહિતના સ્ટાફે બળદેવસિંહ વિરૂધ્ધ તડીપારની દરખાસ્ત કલેકટર સમક્ષ મૂકી હતી. જે કલેકટર દ્વારા મંજૂર કરવામાં આવતાં પોલીસે બળદેવસિંહની ધરપકડ કરી છ માસ માટે જામનગર-રાજકોટ-દેવભૂમિ દ્વારકા અને મોરબી સહિત ચાર જિલ્લાઓમાંથી તડીપાર કરવામાં આવ્યો છે અને આ શખ્સને ભાવનગર જિલ્લા ખાતે મૂકવા કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગરનો માથાભારે શખ્સ ચાર જિલ્લામાંથી તડીપાર
જામનગર, રાજકોટ, દ્વારકા અને મોરબીમાંથી તડીપાર કરાયો